સૂઈગામના ભટાસણા ગામના દલિત યુવકના મોતને લઈ તર્ક - વિતર્ક

 વાવ : સૂઈગામ તાલુકાના ભટાસણા ગામના રમેશભાઈ વિહાજી દલિત નામના અંદાજે ૧૮ વર્ષિય યુવકે ગત તા. ર૮-૮-ર૦૧૯ ની રાત્રે ભટાસણા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ર૦ ફૂટ ઉંચા લીમડાના વૃક્ષ ઉપર દોરડા વડે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી લેતા દલિત સમાજમાં ચકચાર મચી જવા પામી હતી. જા કે ૧૮ વર્ષિય રમેશભાઈ દલિતના આત્મહત્યાની જાણ થતાં તેના પરિવારજનો સાથે સૂઈગામ પી.એસ.આઈ., ઓ.એસ.પી. સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ર૦ ફૂટ ઉંચા લીમડા ઉપરથી મૃતકની લાશને નીચે ઉતરાઈ હતી. મૃતકના મોતને લઈ અનેક તર્ક - વિતર્કો જાવા મળી રહ્યા છે. જા કે ગત તા. ર૯-૮-૧૯ ના રોજ મૃતકના મૃતદેહને સૂઈગામ રેફરલ હોÂસ્પટલ ખાતે લાવી તેનુ પોસ્ટમોર્ટમ કરાયું  છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. પરંતુ હાલમાં તેના અકાળે મોતને લઈ અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યાં છે. જા કે મૃતકના પરિવારજનો પણ મૃતકની લાશ જાઈ તેની હત્યા થઈ હોવાના આક્ષેપો કરી રહ્યાં છે. હાલમાં સૂઈગામ પોલીસે એ.ડી. દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.