યાત્રાધામ અંબાજીમાં આજે બપોરના સુમારે ભારે ગરમીના ઉકળાટ વચ્ચે એક ટેન્ટ હાઉસના ગોડાઉનમાં આગ ભડકતા ભારે અફરાતફડીનો માહોલ સર્જાયો હતો.અંબાજી મંદિરની પાછળ જેકોરબાઈની ધર્મશાળા જે અંબિકા ભુવનના નામે ઓળખાય છે ત્યાં પાછળના ભાગે એક ટેન્ટ હાઉસવાળાના ગોડાઉનમાં ભારે આગ લાગી હતી જોત જોતામાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા ને અંબાજી મંદિરનું ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જતા મોટી ખુવારી ટળી હતી ને કોઈ જાનહાનિ પણ થવા પામી ન હતી. જોકે, ટેન્ટહાઉસના ગોડાઉનમાં આગ લાગતા મોટાભાગનો સરસામાન બળીને ખાખ થઇ જતા અંદાજિત દશેક લાખ રૂપિયાની નુકસાની થઈ હોવાનું અનુમાન માનવામાં આવી રહ્યું છે.જોકે,આ આગ હાલ સંપૂર્ણપણે કાબૂમાં લઇ લેવામાં આવી છે પણ આગ કયા કારણોસર લાગી તેનો રહસ્ય હજી અકબંધ છે.