થરાદના અભેપુરા ગામની દૂધ મંડળીમાંથી ૫૪ હજારની ચોરી

થરાદ : પ્રાપ્ત માહિતી મુજબ થરાદ ઢીમા રોડ પર અભેપુરા ગામની દુધમંડળીનું મકાન આવેલું છે.જેમાં શુક્રવારની રાત્રિના સુમારે ત્રાટકેલા અજાણ્યા તસ્કરે મુખ્ય દરવાજાનું તાળું તોડી તેમાં પ્રવેશ કર્યો હતો. તેમજ તીજોરીમાં રહેલા રૂપીયા ૫૪ હજારની ચોરી કરી હતી. આ બનાવ શનિવારની સવારે મંડળીએ આવેલા મંત્રી માંનાભાઇ પ્રજાપતિને જાણ થતાં તેમણે ગ્રામજનોને અને થરાદ પોલીસને જાણ કરી હતી. આથી દોડી આવેલી પોલીસે અરજી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી માંનાભાઇ સામાન્ય રીતે રોકડ રકમ મંડળીમાં રાખતા નથી. પરંતુ ગઇ કાલે ડેરી દ્વારા ઘીનું વેચાણ કરાતાં રોકડ રકમ આવી હતી. જે શનિવારના કારણે બેંક બંધ હોવાના કારણે સોમવારે જમા કરાવવા માટે મંડળીમાં જ મુકી રાખી હતી. અને તેની ચોરી થવા પામી હતી. આથી આ ઘટનામાં કોઇ જાણભેદુ હોવાની અને એક કરતાં વધારે માણસો હોવાની ચર્ચા પણ ગ્રામજનોમાં ઉઠવા પામી હતી. બનાવને લઇને ચકચાર મચવા પામી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.