લીલાં શાકભાજીની આવક વધતાં ભાવમાં કડાકો

 
શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ લીલી શાકભાજીની આવકમાં ઘરખમ વધારો થાય છે જેને લઈ શાકભાજીના ભાવો તળીયે બેસી જતાં હોય છે આ વખતે ફરી તેવી સ્થતિ નિર્માણ થઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોથી શાકમાર્કેટમાં લીલી શાકભાજીની આવક વધી જતાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતો શાકભાજી લઈને માર્કેટમાં વેચવા જતાં કોડીના ભાવે શાકભાજી વેચવા મજબુર બનવું પડી રહ્યું છે સતત વધતી જતી મોંધવારીની માર વચ્ચે શાકભાજીના હોલસેલ ભાવ ઘટતા ખેડૂતોને ખર્ચ માથે પડી રહ્યો છે ઘણીવાર તો શાકભાજીની આવક વધી જતાં શાકભાજી ખરીદવા વેપારી તૈયાર પણ થતો નથી જેથી ખેડૂતોની હાલત કફોડી થઈ જવા પામી રહી છે. લીલી ડુંગળી, રીંગણ, મરચાં, ફુલાવર જેવા શાકભાજીના ભાવો તળીએ જતાં રહ્યાં છે. ત્યારે શાકભાજીનું ઉત્પાદન કરતાં ખેડૂતોને પણ નુકશાની વેઠવી પડી રહી છે. તો બીજી તરફ શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ગૃહીણીઓને હાશકારો થયો છે અને શિયાળાની ઋતુમાં સસ્તી અને તાજી શાકભાજી મળતા આમ પ્રજામાં પણ ખુશી જાવા મળી રહી છે.
ખેડૂતોને મળતાં ભાવ લીલી ડુંગળી-૩.રૂ.પ્રતિકિલો, રીંગણ-૪ રૂ.પ્રતિકિલો, ટામેટા-૭ થી ૧૦ રૂ., મરચાં-પ રૂ., ફૂલાવર-૮ રૂ., બટાટા-૭ રૂ., સુકી 
ડુંગળી-૮ રૂ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.