ગુજરાતની સરહદે આવેલા નંદુરબારમાં જોરદાર માવઠું, વરસાદી પાણીથી નદી-નાળા છલકાયા

ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ નદી નાળામાં પાણીનું સ્તર વધી ગયુ હતું. ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ખેડૂતના રવિ પાકને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. જ્યારે વાતાવરણ વધુ ઠંડુ થતાં ઠંડી વધી ગઇ હતી. 
 
નંદુરબાર શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવવા સાથે નંદુરબાર જિલ્લાના અલગ અલગ ક્ષેત્રમાં કમોસમી વરસાદ પડ્યો હતો. નંદુરબાર તાલુકાના શનિમાંડળ ગામની નદીમાં કમોસમી વરસાદથી પાણીનું સ્તર વધી ગયું હતું.
 
આ વર્ષ સૌથી ઓછો વરસાદ નંદુરબાર જિલ્લાના પૂર્વ વિસ્તારમાં થયો છે. જેના કારણે નદી અને નાળામાં પાણી જ વધારે વહ્યું ન હતું. પરંતુ કમોસમી વરસાદ થતાં શનિમાંડળ વિસ્તારમાં નદી અને નાળામાં પાણીના સ્તર વધી જતાં પૂર જેવી સ્થિતિનો સ્થાનિકોએ અહેસાસ અનુભવ્યો હતો. શનિમાંડળ, વાવડ વિસ્તારમાં સાંજે અને રાત્રે કમોસમી વરસાદ પડતાં નદી પૂરપાટે વહી હતી. 
 
આ વર્ષ શનિમાંડળ વિસ્તારનાં ગ્રામજનો ચોમાસામાં પુર જોવા મળ્યું નહી. પરંતુ કમોસમી વરસાદમાં નદીમાં પુર જેવો માહોલ જોવાં મળ્યો છે. જોકે, આ પાણી નદીમાં વહેતા પશુના પીવાના પાણીની સમસ્યા દુર થઈ છે પરંતુ રવી પાકને નુકસાન થયું છે. કમોસમી વરસાદ થઈ પૂર્વ વિસ્તારમાં વરસાદ કારણે ખેડૂતોને થોડા પ્રમાણમાં નુકસાન થયું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.