વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં કાલે આસો સુદ એકમને બુધવારે સવારે 8.30 ઘટ સ્થાપન સાથે જિલ્લામાં નવલા નવરાત્રી પર્વનો પ્રારંભ થશે રાતે રાસ ગરબાની રમઝટથી રાતો સજીવન થઈ ઉઠશે.
શક્તિ અને ભક્તિનું પર્વ નવરાત્રી ગુજરાતની આગવી ઓળખ છે સૌથી લાંબા આ પર્વમાં અબાલ વૃદ્ધ સૌ ગરબે રમી માતાજીની આરાધના કરે છે તેમાં પણ યુવા હૈયાનો આ માનીતો તહેવાર છે તેથી ચાચર ચોક સહિત ગરબાના સ્થળે ડીજેના તાલે પ્રાચીન અર્વાચીન ગર બા સાથે રસ ગરબાની મોડી રાત સુધી રમઝટ જામશે જેના કારણે રાતો સજીવન થઇ ઉઠશે.