થરાદ ધાનેરા હાઈવે પર વડગામડા નજીક ડાયવરઝન અભાવે ગાડી એ પલટી મારી

થરાદ ધાનેરા હાઈવે નું ફોરલાઇન નું કામ ચાલતું હોવાથી અનેક જગ્યા પુલો બાંધવામાં આવી રહ્યા છે. ગતરોજ વહેલી સવારે પૂરઝડપે આવતી GJ/09/BE0870 બલેનો ગાડી વડગામડા પાસે ડાયરેક્ટ પુલ ઉપર ચડી જતા પલટી ખાઈ ગઈ હતી. પણ સદનસીબે કોઇ જાન હાની થઈ નથી. ગાડી હિંમતનગર બાજુની હોવાનું જાણવા મળ્યું હતું.અગાઉ પણ્ બે-ત્રણ વખત અકસ્માત થયેલા છે.કોન્ટેક્ટ દ્વારા કોઈ ડાયવર્ઝન કે સંજ્ઞા આપવામાં આવી નથી. આના કારણે દરરોજ વાહનચાલકો હેરાન પરેશાન છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.