વડગામના વ્યાજખોરો ગરીબ લોકોને લૂંટતા હોવાની રાવ
વડગામ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ગરીબ લોકોને વ્યાજે રૂપિયા મોટું વ્યાજ વસુલતા લોકો વધી રહ્યા છે. અને આ લોકો ગરીબ લોકોને વ્યાજે રૂપિયા આપે અને જલ્દીથી પાસા ન આપતા તે વ્યક્તિને ધાક ધમકી આપી રૂપિયા વસુલતા હોય છે. ત્યારે હાલમાં વ્યાજ ખોરો વ્યાજ ખોરો ગરીબ લોકોની ડાયરીઓ ચલાવતા હોવાની રાવ ઉઠવા પામી છે. જેને આ અંગે એસીબી દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે તેવું લોકો કહેવું છે.
વડગામ તાલુકામાં કેટલાય સમયથી ગરીબ લોકોને બિનઅધિકૃત વ્યાજે રૂપિયા આપતા વ્યાજખોરો વધી રહ્યા છે અને આ લોકો ગરીબ લોકોને વ્યાજે રૂપિયા આપી ઘણું મોટું વ્યાજ વસુલે છે અને હાલમાં વ્યાજખોરો ગરીબ લોકોની જમીન, દાગીના અને ઘર ગીરવે મૂકી રૂપિયા આપતા હોવાની લોકોમાં ચર્ચા થયી રહી છે. પણ હાલમાં જે ગરીબ લોકોએ જે વ્યાજ ખોરો જોડેથી મોટા રૂપિયા લીધા છે. તેમને તો આ લોકોએ રૂપિયા આપ્યા નથી. અને તોય પાસા નવા બનેલા બિન અધિકૃત વ્યાજ ખોરો જોડેથી આ લોકો વ્યાજે રૂપિયા લે છે. અને આ બીજા વ્યાજે આપતા વ્યક્તિ જોડેથી રૂપિયા આ લોકો આરીતે લે છે. દા.ત. વ્યાજે આપનાર વ્યક્તિ જોડેથી આજે દસ હજાર રૂપિયા લીધા તો તેમાંથી એક હજાર રૂપિયા કાપી ને વ્યાજ ખોર તે વ્યક્તિને નવ હજાર રૂપિયા આપે છે. અને આ નવ હજાર રૂપિયા વ્યાજ ખોર જોડેથી લઈ તે ૧૦૦ દિવસમાં જેના જોડેથી લીધા હોય તે વ્યાજ ખોરને ૧૦૦ દિવસ સુધી રોજના ૧૦૦ રૂપિયા આપી પુરા કરવાના હોય છે.