ધાનેરા નગરપાલિકામાં અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો

રખેવાળ ન્યુઝ, ધાનેરા : ધાનેરા નગરપાલિકા કચેરી ખાતે ગઈકાલે ૧૨ કલાકે અવિશ્વાસની દરખાસ્ત માટે ખાસ બેઠક બોલાવામાં આવી હતી.જેમાં અવિશ્વાસ ની દરખાસ્ત પસાર કરવા માટે ભાજપ અસફળ સાબિત થયું હતું. તાજેતરમાં વર્તમાન નગરપાલિકા પ્રમુખ યૂશુફખાન બેલીમ વિરુદ્ધ નગરપાલિકા વિરોધ પક્ષના ભાજપના નેતા હીરાભાઈ ઠક્કર સહિત ૧૧ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.જેને લઈ ધાનેરા નગરપાલિકા ઉપપ્રમુખ વસંતીબેન ગલચરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા બોલવામાં આવી હતી.જેમાં વર્તમાન પ્રમુખ યૂશુફખાન બેલીમ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત માટે મતદાન કરાવતા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે ભાજપના ૧૧ સદસ્યોએ આંગળી ઊંચી કરી મતદાન કરતા ૧૯ સભ્યો સામે માત્ર ૧૧ સભ્યો હોવાથી આ અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ શકી ન હતી. ધાનેરા નગરપાલિકા મુખ્ય અધિકારી એસ.એમ. અંસારી વધુ માહિતી આપી હતી. ભાજપના વિરોધ પક્ષના નેતાએ વર્તમાન પ્રમુખ સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો કરી આ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.જો કે આજની સામાન્ય સભામાં સફાઈ બાબતે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી હોવાનો આલાપ કરતા નજરે પડ્‌યા હતા. બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ અને કોંગ્રેસ વતી બળવંતજી બારોટએ આજે વર્તમાન નગરપાલિકા પ્રમુખને ભાજપના વિરોધ પક્ષના નેતા હેરાન કરતા હોવાનું જણાવી હીરાભાઈ પોતાનું દબાણ રેગ્યુલર કરાવવા માટે આ અવિશ્વાસ દરખાસ્ત મૂકી હોવાની ગંભીર બાબત પુરાવા સાથે રજૂ કરતા ધાનેરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.સાથે ધાનેરા ભાજપ શહેર પ્રમુખ એ પણ દબાણ કર્યું હોવાનનું મીડિયા સમક્ષ જણાવ્યુ હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.