બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ના રસાણા ગામ પાસે થી ટ્રેન ડીસા થી પાલનપુર તરફ જઈ રહી હતી ત્યારે એક વ્યક્તિ પટરી પરથી ગાયો હટાવા જતા ટ્રેન ની અડફેટે આવી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું....
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા ગામ પાસે ગત મોડી રાત્રે ટ્રેન ની અડફેટે આવી જતા એક વ્યક્તિ નું ઘટના સ્થળે મોત થયું હતું આ અંગે ની વિગતો જોઈએ તો રસાણા ગામના રણજીત ધારજીજી ઠાકોર ગત રાત્રીએ રસાણા ગામ પાસે થી પસાર થઈ રહેલ ટ્રેન ની ફાટક પાસે ઉભા હતા દરિમયાન ત્યાં ટ્રેન ની પટરી પર પાંચ-છ ગાયો હતી તે સમયે સામેથી ડીસા થી પાલનપુર જવા માટે નીકળેલ ટ્રેન ની આવતી જોતા રણજીત ગાયો ને બચાવવા માટે પટરી પર ગયો હતો ને ગાયો ની નકાળતા નીકાળતા તેનો પગ ટ્રેન ની અડફેટે આવી ગયો હતો જેથી તે ટ્રેન ની પટરી ની બાજુમાં પાછડાયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું આ વાત ની જાણ ગામ લોકો ને થતા તાત્કાલિક ગામ લોકો ઘટના સ્થળે પહોંચી અને લાશ ને પી.એમ અર્થે ડીસા સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધેલ છે.