ગુજરાતની છ બેઠકોની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો માટે પેટાચૂંટણીની તૈયાર પૂર્ણ થઈ ચુકી છે. પેટા ચૂંટણી માટે આજે પ્રચારનો અંત આવી ગયા બાદ ઉત્સુક્તા વધી ગઈ છે. મતદાન માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. મતદાનને લઈને ચૂંટણી પંચે તમામ તૈયારીઓ કરી લીધી છે. પ્રચારનો અંત આવ્યા બાદ મતદારો હવે ઘેર ઘેર જઈને પ્રચાર કરવામાં લાગી ગયા છે. ગુજરાતમાં જે છ બેઠકોની પેટા ચૂંટણી યોજનાર છે તેમાં રાધણપુર, બાયડ, લુંણાવાડા, અમરાઈવાડી, થરાદ અને ખેરાલુનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર અને હરિયાણા સહિત અલગ-અલગ રાજ્યોની પેટાચૂંટણી સાથે ગુજરાતની પણ છ વિધાનસભા બેઠકો માટે પણ પેટા ચૂંટણી તા.૨૧ ઓક્ટોબરે યોજાવા જઇ રહી છે જેને લઇને આજે સાંજે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હતા. હવે ઉમેદવારો છેલ્લા ૪૮ કલાક ડોર ટુ ડોર અને વન ટુ વન બેઠકો અને મુલાકાત કરી છેલ્લી ઘડીના પ્રચારના મરણિયા પ્રયાસોમાં જાતરાયા છે. બીજીબાજુ, રાજયની આ છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીને લઇને સત્તા ટકાવી રાખવા ભાજપ-કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને લઇ સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે તો, સુરક્ષાને લઇને પણ તંત્ર દ્વારા તમામ રીતે બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.