બનાસકાંઠા જિલ્લામાં ક્રાઈમની ઘટનાઓમાં દિન-પ્રતિદિન થઈ રહેલો વધારો આમ આદમીમાં ચિંતા ઉભી કરી રહ્યો છે. સાથે-સાથે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે ધાનેરામાં 25 વર્ષીય એક યુવકની ઘાતકી હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામે એક 25 વર્ષીય યુવક શામળા પટેલને રામપુરા છોટા ગામની મહિલા સાથે આડા સંબંધ હતા. જેને લઈ આ બાબતે હત્યારાઓને જાણ થઈ જતાં મૃતક શામળા પટેલને ઘાટ જોઈ આજે બેરહેમી પૂર્વક હત્યા કરી દીધી છે. જેને લઈ ધાનેરા પંથકમાં હોહા મચી જવા પામી છે. તેમજ હત્યાના બનાવથી પંથકવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે કે ગાંધીના ગુજરાતમાં હત્યા જેવા બનાવો ચિંતાનો વિષય છે. આ બાબતે પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડાઈ છે. જ્યારે બીજી તરફ હત્યારાઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કરી દીધા છે.