રાધનપુરમાં પાલિકાએ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા

રાધનપુરમાં નગરપાલિકા દ્વારા એસ.ટી.સ્ટેન્ડની સામે આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરીને પાલિકાની જમીનને ખુલ્લી કરી હતી.આ જગ્યામાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મુકવા માટે મંજુર કરવામાં આવી હોઈ હાલમાં આ ખુલ્લી કરેલી જગ્યામાં પાલિકા દવારા પેવરિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.ત્યારબાદ લોખંડની ગ્રિલથી કોર્ડન કરવામાં આવશે,જેથી ફરીથી ગેરકાયદેસર દબાણો ના થાય.પાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, બાંધકામ સુપરવાઈઝર આર.સી. ગજ્જર, સેનીટેશન વિભાગના ચેરમેન હરદાસ ભાઇ આહીર સહિતની દેખરેખમાં જે.સી. બી.થી જમીન સમતળ કરીને પેવરિંગનું કામ શરુ કરાયું છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.