સાંતલપુર તાલુકાના સિઘાડ઼ાથી સુઈગામ જતા કસ્ટમ રોડને ક્રોસ કરીને નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલ નીકળે છે. જે કચ્છમાં જાય છે. આ કેનાલ ઉપર બનાવવામાં આવેલો પુલ એટલી હલકી કક્ષાનો બનાવ્યો છે કે શનિવારે ત્રીજી વાર ગાબડું પડ્યું હતું.ઝઝામના વતની અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અણદુભા જાડેજાના જણાવ્યા મુજબ સિઘાડાથી સુઈગામ જતા કસ્ટમ રોડ રોજેરોજ હજારો વાહનો નીકળે છે. કંડલા પોર્ટ ઉપરથી માલ-સમાન લઈને ભારે વાહનો પણ નીકળે છે.આ કેનાલ ઉપરનો પુલ સાવ હલકી કક્ષાનો બનાવ્યો છે. જેના કારણે ત્રીજી વાર પુરમાં ગાબડું પડ્યું છે. જો ભવિષ્યમાં પુલ ધરાશાયી થઇ જશે. તો વાહનવ્યવહાર ઠપ્પ થઇ જશે અને રાજ્યને જ નહિ પણ દેશને પણ લખો રૂપિયાનું નુકશાન થશે.જેથી પુલ મજબૂત અને પહોળો બનવો જરૂરી છે.