જૂનાગઢમાં વિસાવદરના લાલપુર પાસે ખાનગી બસનો અકસ્માત, ૩ના મોત, ૨૦ ઇજાગ્રસ્ત, ડ્રાઇવર નશામાં બસ ચલાવતો હોવાનો આક્ષેપ

ગુજરાત
ગુજરાત

 
જૂનાગઢ
 
      જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક લાલપુર નજીક ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત થતાં ૩ મુસાફરના મોત નીપજ્યા છે. જ્યારે ૨૦ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે
 
     ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
      અકસ્માત બાદ બસની ઉપરનું છાપરું તૂટીને અલગ થઇ ગયું હતું. આ ઉપરાંત ડ્રાઇવર નશામાં બસ ચલાવતો હોવાનો આક્ષેપ બસમાં મુસાફરી કરતાં પેસેન્જરોએ લગાવ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.