જૂનાગઢમાં વિસાવદરના લાલપુર પાસે ખાનગી બસનો અકસ્માત, ૩ના મોત, ૨૦ ઇજાગ્રસ્ત, ડ્રાઇવર નશામાં બસ ચલાવતો હોવાનો આક્ષેપ
જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક લાલપુર નજીક ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત થતાં ૩ મુસાફરના મોત નીપજ્યા છે. જ્યારે ૨૦ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે
ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માત બાદ બસની ઉપરનું છાપરું તૂટીને અલગ થઇ ગયું હતું. આ ઉપરાંત ડ્રાઇવર નશામાં બસ ચલાવતો હોવાનો આક્ષેપ બસમાં મુસાફરી કરતાં પેસેન્જરોએ લગાવ્યો હતો.