કાંકરેજ તાલુકાના રણાવાડા ગામે દવે પરિવારના કુળદેવી અંબાજી માતાજીના મંદિરમાં ગઇરાત્રીના રોજ તસ્કરો ત્રાટકી માતાજીના શણગાર રોકડ રકમ ચોરી કરી રફુચક્કર થઇ જતા ચકચાર મચી જવા પામી છે.
કાંકરેજ તાલુકાના રણાવાડાના દવે પરિવારની કુળદેવી અંબાજી માતાનું મંદિર ગામથી આશરે ૩૦૦ મીટર દૂર ઉચરપીની વાટે આવેલ છે.આ મંદિરની પૂજા આરતી વગેરે પતાવી પુજારી પોતાના ઘરે મંદીરને તાળું મારીને આવેલ અને મંદિરમાં કોઈ હાજર હતું નહીં તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ મંદિરના દરવાજાથી અંદર પ્રવેશી મંદિરના તાળાનો નકુચો તોડી માતાજીના શણગારમાં પહેરાવેલ સોનાની ગિલેટ વાળો હાર એક તેમજ સોનાના ગિલેટ વાળી રામનામી નંગ એક જે બન્નેની કિંમત આશરે બે હજાર તથા માતાજીના પગે મુકવામાં આવેલ રોકડ રકમ લઈ ચોરો રફુચક્કર થઈ ગયેલ.દરમ્યાન વહેલા સવારે ૫ઃ૦૦ વાગે પુજારી આરતી કરવા ગયેલ તે વખતે જાણ થતા શિહોરી પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.આથી શિહોરી પી.એસ.આઈ પી.જે જેઠવા સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.