ગુજરાતમાં શહિદ પરિવારો વિવિધ ૧૫ માંગણીઓ સાથે આંદોલન પર ઉતર્યા

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં પૂર્વ સૈનિકો દ્વારા ૧૫ જેટલી માંગણીઓને લઇને શાહીબાગ સ્મારક ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું છે. માજી સૈનિકઅને શહિદના પરિવારજનો આંદોલનમાં જોડાયાં છે. છેલ્લા ૨૪ કલાકથી પણ વધુ કલાકો પસાર થઇ ગયા હોવા છતાં આંદોલન હજુ પણ ચાલુ છે. ત્યારે માજી સૈનિક અને શહિદ પરિવારજનો ગાંધીનગર તરફ કૂચ કરશે
 
અમદાવાદના શાહીબાગના શહીદ સ્મારક ખાતે પૂર્વ સૈનિકો વિવિધ ૧૫ જેટલી માગને લઇને આંદો કરી રહ્યાં છે. ત્યારે પૂર્વ સૈનિકો અને શહિદના પરિવારજોનો પણ આંદોલનમાં જોડાયાં છે. જેમાં શહીદ જવાનોના પરિવારને એક કરોડની સહાયની માગ કરવામાં આવી છે. જ્યારે પૂર્વ સૈનિકોને ખેતી માટે જમીન અને પ્લોટ આપવાની માગ અને કોન્ટ્રાકટ પદ્ધતિ નાબૂદ કરવા સહિતની માગ કરાઇ છે.
 
સુત્રોએ જણાવ્યુ હતુ કે, આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકો તેમજ શહીદ પરિવારજનો તરફથી માગ કરવામાં આવી છે કે, પૂર્વ સૈનિકોને ભરતી પ્રક્રિયામાં છૂટછાટ આપી અને ૧૦ ટકા ભરતી પૂર્વ સૈનિકોની કરવી. શહીદ જવાનના પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને શહીદ જવાનની પત્નીને પેન્શનની પણ માગ કરાઇ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.