ગુજરાતઃ સરહદ પર બંધ ચેકપોસ્ટમાંથી કરોડોના માલસામાનની ચોરી

ગુજરાત
ગુજરાત

રાજ્ય સરકારે કરોડો રૂપિયા ખર્ચીને ગુજરાત અને રાજસ્થાનની સરહદો પર અત્યાધુનિક ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી. રાજ્યના શામળાજી, અંબાજી અને અમીરગઢમાં બનાવવામાં આવેલી આ ચેકપોસ્ટ્સ પર સીસીટીવી, કમ્પ્યુટર્સ, વાયર અને ટેબલ ચેર સહિતના અન્ય સાધનોની ખરીદી કરવામાં આવી હતી. સરકાર દ્વારા દિવાળી પર અચાનક આ પોસ્ટ્સ બંધ થતાં ચોરોએ કરોડો રૂપિયાના માલ ઉપર હાથ સાફ કરી દીધા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
 
 
રાજસ્થાન સરહદે શામળાજી, અંબાજી અને અમીરગઢના ચેકપોસ્ટ સહિત લગભગ ૧૦ ચેકપોસ્ટ છે. અહીં આ ચેકપોસ્ટ્સ પર સીસીટીવી કેમેરા, વાયર, ટેબલ, ખુરશીઓ અને કોમ્પ્યુટર મૂકવામાં આવ્યા હતા. આ ચોકીઓ બંધ કર્યા બાદ સિક્યુરિટી ગાર્ડને પણ હટાવવામાં આવ્યા હતા. આરટીઓ સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી આ ચેકપોસ્ટોને બંધ કરી દીધી છે. તેના અવેજીની વ્યવસ્થા નહોતી કરાઈ. આ ચેકપોસ્ટમાંથી સુરક્ષાકર્મીઓને હટાવ્યા બાદ કરોડો રૂપિયાના ફર્નિચર સહિતના આધુનિક સાધનો ચોરી ગયા છે. જો કે આરટીઓ કાર્યકરો આ અંગે કંઇ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે.
 
સમગ્ર મામલે ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ મંજુએ કહ્યું કે, આ સમગ્ર મામલો રાજ્ય સરકારમાં વિચારણા હેઠળ છે. જ્યારે ઇન્સ્પેક્ટર એસોસિએશને આ અંગેની પરિસ્થિતિથી પરિવહન સચિવને જાગૃત કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.