પાકિસ્તાનમાં તેજગ્રામ એક્સપ્રેસમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 73 લોકોના મોત, 40 ઈજાગ્રસ્ત

કરાચીઃ પાકિસ્તામાં ગુરુવારે કરાચી-રાલલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં બ્લાસ્ટ થયો છે. આ ઘટના પંજાબ પ્રાંતના દક્ષિણમાં રહીમ યાર ખાનની પાસે થઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, ખાવાનું રાંધવા માટે વાપરવામાં આવતા ગેસ કનેકટરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ત્રણ કોચમાં આગ લાગી છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ઘટનામાં અત્યાર સુધી 73 લોકોના મોત થયા છે, જ્યારે 40થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
 
રેલવે મંત્રી શેખ રશિદે કહ્યું કે સિલિન્ડર ફાટ્યા બાદ ત્રણ ડબ્બામાં આગ ફેલાઈ હતી. મોટા ભાગના મોત ચાલુ ટ્રેનમાંથી જીવ બચાવવા કૂદવાને કારણે થયા છે. રહીમ યાર ખાનના ડેપ્યુટી કમિશ્નર જમીલ અહમદના જણાવ્યા મુજબ, હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી. સેનાના હેલિકોપ્ટરને પણ રેસ્કયુમાં લગાવવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને લિયાકતપુર હોસ્પિટલ અને ગંભીર સ્થિતિવાળાને હેલિકોપ્ટરથી મુલ્તાન મોકલવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાન ઈમરાન ખાને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.