દાંતીવાડા તાલુકાના મોટી મૂડી પાસે ગત મોડી રાત્રે સર્જાયેલા આ અકસ્માતમાં ઝાલોરથી વડોદરા જઈ રહેલ લકઝરી બસે પલ્ટી મારતા બસમાં સવાર ૩૫ મુસાફરોને ઇજા થવા પામી હતી.
ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે દાંતીવાડા તાલુકાના મોટી મહુડી પાસેથી પસાર થઈ રહેલ અને રાજસ્થાનના ઝાલોરથી વડોદરા તરફ જતી લક્ઝરી બસે મોડી રાત્રે ત્રણેક વાગ્યે અચાનક પલટી મારતા બસમાં સવાર ૩૫ મુસાફરોને ઇજાઓ થવા પામી હતી. બસના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે પાંથાવાડા તથા ડીસા અને પાલનપુરની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આમ દાંતીવાડા તાલુકાના મોટી મહુડી પાસે ગત મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર ૩૫ જેટલા મુસાફરોને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.