મહિલા ASI દુષ્કર્મ : સુરેન્દ્રનગર પોલીસના પાટણમાં દરોડા, PSI ફરાર

પાટણ ના પીએસઆઈ આશીષ ડામોર સામે સુરેન્દ્રનગરની એએસઆઈએ લગ્નના બહાને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરી છે. જેને લઈને સુરેન્દ્રનગર પોલીસ પાટણ તેને પકડવા પાટણ પહોંચી હતી. પરંતુ તે નાસી છૂટ્યો હતો અને સુરેન્દ્રનગર પોલીસની પકડમાં આવ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, કરાઈ પોલીસ તાલીમ કેન્દ્રમાં તાલીમ દરમિયાન સુરેન્દ્રનગરની મહિલા પોલીસ કર્મચારી અને પાટણના પીએસઆઇ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
 
મહિસાગર જિલ્લાના સંતરામપુરા તાલુકાના સુરપુરા ગામના અને પાટણના પીએસઆઈ આશીષકુમાર નરેશકુમાર ડામોર સામે લગ્નની લાલચ આપી પોતે અપરણીત છે તેવો વિશ્વાસ આપી સુરેન્દ્રનગરના શ્રીજી ગેસ્ટ હાઉસમાં મહિલા પોલીસકર્મીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. આ ઉપરાંત ફોનમાં મારી નાંખવાની અને બદનામ કરવાની ધમકીનો ગુનો નોંધાવ્યો હતો.
 
જિલ્લાના પોલીસ મથકમાં જ પીએસઆઈ વિરૂદ્ધ મહિલા પોલીસ કર્મીની દુષ્કર્મની ફરિયાદથી પોલીસતંત્રમાં દોડધામ મચી હતી. આથી બનાવની સાચી હકીકત બહાર લાવવા તપાસ અધિકારી મહિલા પીએસઆઈ પી.આર.સાગર સહિતની ટીમે પાટણમાં છાપો માર્યો હતો. પરંતુ જેની સામે ફરિયાદ થઇ છે તે પીએસઆઈ આશીષકુમાર ડામોર ભાગી ગયા હોવાની ખૂલ્યુ હતું.
 
પીએસઆઇએ મહિલા પોલીસ કર્મચારીને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી સુરેન્દ્રનગરના ગેસ્ટહાઉસમાં મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. એક સંતાનના પિતા એવા પીએસઆઇ સામે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.