પાટણની જ્ઞાન મંદિર સ્કુલના વિદ્યાર્થીઓ સાથેની લક્ઝરી બસ અંબાજીના પ્રવાસે નીકળી હતી ત્યારે આજે અમીરગઢ તાલુકાના ડાભેલી ગામ નજીક ગાયને બચાવવા જતા બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ પરથી ઉતરી જઈ ઝાડ સાથે ટકરાઈ હતી જે અકસ્માતમાં પ્રવાસમાં સાથે આવેલા સ્કુલના પટ્ટાવાળાનું મોત નીપજ્યું હતું જ્યારે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થવા પામી હતી આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.