પાલનપુરના લાલાવાડા નજીક તલાટી ઉપર હિચકારો હૂમલો

પાલનપુર : પાલનપુર તાલુકાના લાલાવાડા નજીક વડગામના માહિ ગામના તલાટી ઉપર ત્રણ શખ્સોએ જુની અદાવત રાખી લોખંડની પાઇપ વડે હૂમલો કર્યો હતો. જેમને ગંભીર ઇજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના લાલાવાડા નજીક વડગામ તાલુકાના માહિના તલાટી મહેશકુમાર પરસોત્તમદાસ કટારીયા (મુળ રહે. સલેમકોટ તા. વડગામ,  હાલ રહે. પાલનપુર) પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન વડગામના લીયાકતખાન જાફરખાન કુરેશી, રહીશખાન જાફરખાન કુરેશી, ઇમરાનખાન જાફરખાન કુરેશી સહિત આઠ જેટલા શખ્સોએ જુની અદાવતમાં લોખંડની પાઇપ તેમજ ગડદાપાટુંનો માર મારી ગંભીર ઇજાઓ પહોચાડી હતી. 
જેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મહેશભાઇએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગૂનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.