વાવમાં ખેતીકામ કરતા યુવક ઉપર બે શખ્સો હથિયારથી હુમલો કર્યો હતો

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ તાલુકાના ગામે યુવકની અગમ્ય કારણોસર હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઇ છે. બે અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયાર વડે ખેતીકામ કરતા યુવક ઉપર તુટી પડ્યા હતા. ઘોળા દિવસે ખેતરમાં પહોંચી હત્યા કરી ફરાર થઇ ગયા બાદ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. હત્યાની ઘટનાને પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વાવ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ મોકલી તપાસ હાથ ધરી છે.
 
બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના તીર્થગામે ખેતીકામ દરમ્યાન તીક્ષ્ણ હથિયાર સાથે બે બાઇક સવાર ઇસમો પહોંચી ગયા હતા. આ દરમ્યાન ખેડુત મેવાભાઇ બબાભાઇ પરમાર(ઉ.વ.૨૮) ઉપર ધારદાર શસ્ત્રો વડે હિચકારો હુમલો કર્યો હતો. અજાણ્યા બે ઇસમો કોઇ કારણસર યુવકને ગંભીર રીતે ઘાયલ કરી ફરાર થઇ ગયા હતા. જેમાં યુવાન ખેડુતની હત્યા થઇ ગઇ હોવાનું સામે આવતા પરિવારમાં ઘ્રાસ્કો પડ્યો હતો. જોતજોતામાં યુવકના પરિજનો અને ગામલોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
 
સુત્રોએ જણાવ્યુ હતુ કે, બે અજાણ્યા ઇસમો અને ખેડુત વચ્ચે કોઇ બાબતને લઇ હત્યા કરી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. અજાણ્યા બે શખ્સો ગંભીર રીતે ઘાયલ કરવા કે મર્ડર કરવાના ઇરાદે તૈયારી સાથે પુર્વ બાતમીને પગલે યુવાન ખેડુત ઉપર તુટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં વાવ પોલીસ દ્રારા તીર્થગામે પહોંચી મૃતકની લાશ પોસ્ટમોર્ટમ માટે વાવ રેફરલ હોસ્પિટલ મોકલી આપી હતી. સૌથી મોટો સવાલ બન્યો છે કે, ધોળા દિવસે કયા કારણસર બે શખ્સો કોની પાસેથી માહિતી મેળવી ખેડુતની હત્યા નિપજાવી છે ?

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.