વીમા કંપનીઓને રૂ.15,000 કરોડ લોકોને પરત કરવા આદેશ

નવી દિલ્હી: દેશની ક્રેડિટ વીમા કંપનીઓ પાસે રૂ.૧પ,૧૬૭ કરોડ પડ્યા છે કે જેના કોઇ દાવેદાર નથી. એક અહેવાલ અનુસાર ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધીકરણ (ઇરડા)એ તમામ વીમા કંપનીઓને પો‌િલસીધારકોની ઓળખ કરીને આ નાણાં તેમને પરત કરવા સૂચના આપી છે.

રિપોર્ટ અનુસાર આટલી મોટી રકમ બાકી હોવા પાછળ અનેક કારણ હોઇ શકે છે. પ્રથમ કારણ એ હોઇ શકે છે કે નોમિનીને એ વાતની જાણકારી હોતી નથી કે પો‌િલસીધારકે આ પ્રકારની કોઇ પોલિસી લીધી છે કે કેમ? બીજું કારણ એ હોઇ શકે કે નોમિનીને દસ્તાવેજો અંગે કોઇ જાણકારી નહીં હોય કે જેના આધારે તે ક્લેમ કરી શકે અને ત્રીજું કારણ એ હોઇ શકે કે પોલિસીધારકના મૃત્યુ બાદ નોમિની ક્લેમ કરવાની સ્થિતિમાં નહીં હોય.

આ સંદર્ભમાં ઇરડાએ એવી સૂચના આપી છે કે તમામ જીવન વીમા કંપનીઓ પોતાની વેબસાઇટ પર સર્ચ વિકલ્પ ઉપલબ્ધ કરાવે કે જેના દ્વારા પોલિસીધારક, લાભાર્થી કે તેના વારસદારને જાણ થઇ શકે કે વીમા કંપની પાસે તેમની કોઇ રકમ બાકી નીકળે છે. આ માટે પો‌િલસીધારકે વીમા કંપનીની વેબસાઇટ પર પો‌િલસી નંબર, પાન નંબર, આધાર નંબર, જન્મતારીખ જેવી માહિતી આપવી પડશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.