પાલનપુર બસ સ્ટેશન સ્તનપાન કેન્દ્ર ધરાવતુ ગુજરાતનું સૌ પ્રથમ સ્ટેશન બન્યું

પાલનપુર: શહેરના એસટી બસ સ્ટેશન ખાતે આરોગ્યતંત્ર દ્વારા મુસાફરોની હાલાકીને ધ્યાને લઇ સ્તનપાન કેન્દ્રની ચેમ્બર બનાવી ગુજરાતનું સૌ પ્રથમ સ્તનપાન કેન્દ્ર ધરાવતું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન જિલ્લા કલેકટરના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમયે વિવિધ માંગણીઓને લઈ એસટીના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
 
બનાસકાઠા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા પ્રજાજનોની વધુ અવર જવર રહેતી હોય તેવા સ્થળોએ સ્તનપાન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે જેને લઇ તાજેતરમાં શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સ્તનપાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે બાદ શહેરના બસ સ્ટેશન ખાતે સ્તનપાન કેન્દ્ર બનાવી ગુજરાતનું સૌ પ્રથમ સ્તનપાન કેન્દ્ર ધરાવતું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન સોમવારે જિલ્લા કલેકટરના હસ્તે કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલે, એસટી વિભાગીય નિયામક જે એમ સોલંકી સહિત આરોગ્ય તંત્ર તેમજ એસટી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.પરંતુ ઉદ્ઘાટન સમયે એસટીની કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઇ અને ખાનગીકરણ અટકાવવાના મુદ્દે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.