બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલનું નામ જાહેર થતાં ઠાકોર સમાજમાં નારજગીનો સૂર ઉઠ્યો છે. ખાસ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ નારાજ થયા છે. તેઓએ એક નિવેદેનમાં મીડિયા સમક્ષ જણાવ્યુ છે કે,પરબતભાઇ પટેલનું નામ જાહેર થયું તેની મને જાણ નથી પણ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. જોકે, પરબતભાઇના નામની જાહેરાત બાદ મળેલ બેઠકમાં પણ તેઓ ગેરહજાર રહેતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.