વિજયનગર તાલુકાની આશ્રમ શાળાઓમાં ફાયર સેફ્‌ટીની સુવિધા ઉપલબ્ધ કરવા આદેશ

અરવલ્લી : આચાર્ય  વિજય પટેલે જણાવ્યું હતું કે સુરત ની દુઃખદ ઘટના બાદ અમારા ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ અને ખાનગી ટ્રસ્ટ / મંડળ ના   સહિયારા પ્રયાસો થકી સાબરકાંઠા /અરવલ્લી જિલ્લામાં ૬૨ કરતા પણ વધુ સમાજ ના ગરીબ બાળકો માટે ઉત્તમ મફત રહેવા છાત્રાલય સાથે જમવાની સુવિધા સાથે  ગુણવત્તા લક્ષી શિક્ષણ આપતી સંસ્થાઓ ઓ હાલ કાર્યરત છે.જેમ  સુરત જેવી ગોઝારી ઘટના ના બને તે માટે તકેદારી ના ભાગ રૂપે  માન. આશ્રમશાળા અધિકારી સાહેબશ્રી દ્વારા તાત્કાલીક  તમામ આશ્રમશાળા ની સંચાલન કરતા  ટ્રસ્ટી મંડળો અને આચાર્યો ને ફાયર સેફ્‌ટી ની સુવિધા ઉપલબ્ધ કરવા કડક સૂચનાઓ આપી આદેશ કર્યો છે.   આશ્રમશાળા ના આચાર્યો કર્મચારીઓ શાળા માં ૨૪ કલાક બાળકો સાથે રહેતા હોય છે અને મોટા ભાગના કર્મચારીઓ બીજા જીલ્લા અને તાલુકા ના હોય છે.અને હાલ વેકેશન અને પ્રવાસ ના આયોજન માં હોય છે જેથી તાત્કાલિક આદેશ થી અકળામણ અનુભવી રહ્યા હતા. સંસ્થાઓ માં આ સુવિધાઓ હોવી જરૂરી છે.મોટાભાગની આશ્રમશાળા ઓ માં ઓ માં ફાયર સેફ્‌ટી માટે એક શિક્ષક અને છ જેટલા બાળકો તાલીમ આપવામાં આવેલ છે હોય છે.તેવી માહિતી મળેલ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.