ગત તા. ૧ર/૧૦/ર૦૧૮ ને શુક્રવારની રાત્રે સરહદી વાવ તાલુકાના કુંડાળિયા ગામે આવેલા આંબેડકર ચોકમાં ગરબામાં બોલાચાલી થતાં જ દલિત યુવકોએ સાથે મળી લોખંડની પાઈપ વડે હુમલો કરી કુંડાળિયા ગામના સોલંકી (દલિત) થાંનાભાઈ જામાભાઈ ઉ.૩૩ ની હત્યા કરી હતી. જે સંદર્ભે માવસરી પોલીસે ચાર આરોપીઓ વિરૂધ્ધ ૩૦ર હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
વાવ પી.એસ.આઈ એ.એમ.પટેલે મીડીયાને જણાવ્યુ હતું કે ૧ર કલાકમાં ગણત્રીના કલાકો કુંડાળિયા ગામની સીમમાં ઓપરેશન હાથ ધરી ત્રણ આરોપીઓને ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે. વધુમાં પીએસઆઈએ જણાવ્યુ હતું કે અંકિત સોલંકી નામનો આરોપી માઈનોર હોઈ (એટલે કે ૧૮ વર્ષથી) નીચેની વયનો હોઈ તેને હાઈકોર્ટમાં રજુ કરાશે. આમ ગણત્રીની કલાકોમાં હત્યાના આરોપીઓ ઝડપાતા ફરિયાદી પક્ષે રાહતનો દમ લીધો છે.