વડગામ : ગથત તા.૭/૬/ર૦૧૯ ના રોજ હેલ્થ સેન્ટર બાવલચુંડી દ્વારા પ્રા.આ.કે. નાંદોત્રા ના વરસડા ગામે આયુષ્યમાન ભારત અંતર્ગત સતત બીજીવાર મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા રોગોની નિઃશુલ્ક સારવાર અને માર્ગદર્શન ડો.નરેન્દ્ર જી.ચૌધરી કોમ્યુનીટી હેલ્થ ઓફીસર દ્વારા કરવામાં આવેલ તેમજ રજીટેશન તથા લેબોરેટરી તપાસની કામગીરી પી.ડી. ગુજાર તેમજ શ્રીમતી એ.જી.ચૌધરી દ્વારા કરવામાં આવેલ. જેમાં કુલ ૮૩ દર્દીઓની તપાસ કરવામાં આવેલ. જેમાં જરૂરી દર્દીઓને લોહીના વિવિધ ટેસ્ટ અને સારવાર કરવામાં આવેલ.
૧૪ દર્દીઓને પ્રા.આ.કે.નાંદોત્રા ખાતે વધુ સારવાર માટે રિફર કરતા ડો.પ્રકાશ જી. ચૌધરી મેડીકલ ઓફીસર દ્વારા સારવાર કરવામાં આવી હતી.
લોકોને બીનચેપી રોગો (બેઠાડું) જીવનથી થતા રોગો જેવા કે ડાયાબીટીસ, બ્લડપ્રેસર, કેન્સર, વિશેની સમજ આપવામાં આવી. આ ઉપરાંત તણાવમુક્ત રહેવા માટે લોકોને યોગા - વિશે જરૂરી માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પનાં માર્ગદર્શક ડો.સંજય શાહ (સી.ડી.એચ.ઓ.) ડો.મુકેશ ત્રિવેદી (આર.સી.એચ.ઓ.) તેમજ ડો.ટી.બી.મહેતા (ટી.એચ.ઓ.) વડગામનો વરસડા ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો છે.