સમગ્ર દેશમાં એનઆરસી લાગૂ થશે : અમિત શાહ

નવીદિલ્હી
રાજ્યસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે એનઆરસીના મુદ્દા પર વિપક્ષોના આરોપોનો ફરી એકવાર જવાબ આપ્યો હતો. તેમણે ધર્મના આધાર પર એનઆરસીમાં ભેદભાવ કરવાની આશંકાને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, એનઆરસીના આધાર પર નાગરિકતાની ઓળખની ખાતરી કરવામાં આવશે અને આને સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવશે. તેમણે દાવા સાથે કહ્યું હતું કે, એનઆરસીને સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવશે. આને લઇને કોઇને ભયભીત થવાની જરૂર નથી. કોઇપણ ધર્મ વિશેષના લોકોને ભયભીત થવાની જરૂર નથી. આ એક એવી પ્રક્રિયા છે જેનાથી દેશના તમામ નાગરિક એનઆરસી યાદીમાં સામેલ થઇ શકે છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, એનઆરસીમાં ધર્મના આધાર પર ભેદભાવ કરવામાં આવશે નહીં. એનઆરસીમાં આ પ્રકારની કોઇપણ જાગવાઈ નથી જેના આધાર પર કહેવામાં આવશે કે, ધર્મના લોકોને આમા સામેલ કરવામાં આવી રહ્યા નથી. તેમણે કહ્યું હતું કે, તમામ નાગરિક ભલે તેમના ધર્મમાં કંઇ પણ હોય પરંતુ એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે છે. એનઆરસી એક અલગ પ્રક્રિયા તરીકે છે. નાગરિક સુધારા બિલ એક અલગ પ્રક્રિયા છે. તેને એક સાથે રાખી શકાય નહીં. અમિત શાહે ખુલાસો કરતા કહ્યું હતું કે, એનઆરસીની સમગ્ર દેશમાં લાગૂ કરવાની યોજના છે જેથી ભારતના તમામ નાગરિક એનઆરસીની યાદીમાં સામેલ થઇ શકશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.