અયોધ્યા ખાતે ઝડપથી રામ મંદિરના નિર્માણ માટે વીએચપીની બેઠકમાં ચર્ચા

 
                            જગ વિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે માનસરોવર પાસેની ધર્મશાળામા વી.એચ.પી.ની જાહેર મિટિંગ યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હાજર રહ્યા હતા સાથે ગ્રામજનો અને વિવિધ આગેવાનો પણ હાજર રહ્યા હતા.
અંબાજીની જેકોરબા ધર્મશાળામાં વી.એચ.પી.ની જાહેર મિટિંગ યોજાઈ હતી. જેમાં બાલકૃષ્ણ નાયક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વી.એચ.પી, ઉત્તર ગુજરાતના પ્રાંત મંત્રી કીર્તિભાઇ મહેતા, ગાંધીનગર ધાર્મિક જીલ્લા સંયોજક રાકેશભાઈ શર્મા હાજર રહ્યા હતા. સાથે અંબાજીના અગ્રગણ્ય નાગરીકો પણ હાજર રહી મીટિંગની શોભા વધારી હતી. આ મિટિંગમાં અયોધ્યામાં રામ મંદિર માટે સંતોનો કર્યો સંપર્ક કરી જલ્દી રામ મંદિરનું નિર્માણ થાય તે મુદ્દાઓ પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે કોટેશ્વર મહાદેવના મહંત વિશ્વંભર દાસજી મહારાજ અને વિશ્વના મહંત ચુંદડી વાળા માતાજી સાથે વિભિન્ન મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમની આભાર વિધિ આલોક મહારાજએ 
કરી હતી.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.