થરાદની ભોરોલ ડીસ્ટ્રી. કેનાલમાં ગાબડું પડતાં ઘંટીયાળીના ખેડુતનો જીરૂ, મકાઇનો પાક તબાહ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : ઢીમા બ્રાંચ કેનાલમાંથી નિકળતી ભોરોલ ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ વાવના છેવાડાના ચોટીલ ગામ સુધી જાય છે.મંગળવારની મધરાતે આ કેનાલ ઘંટીયાળી ગામની સીમમાં ખેડુત ધનાજી નરસેંગજી બારોટના ખેતરમાં તુટતાં તેમાંથી વીસ ફુટ જેટલું ગાબડું પડવા પામ્યું હતું. જેનાકારણે આઠથી દસ એકરમાં પાણી ફરી વળતાં ખેતરમાં મકાઇ તથા જીરાનો પાક તબાહ થવા પામ્યો હતો. કેનાલ તુટવાનું કારણ વધારે પડતું પાણી છોડાવાનાકારણે છલકાવાના કારણે બે થી ત્રણ જગ્યાએ ધોવાણ થતાં થતાં આખરે તુટી જવા પામી હતી. આ અંગે સવારમાં ખેડુતોને જાણ થતાં તેમણે નર્મદા વિભાગને જાણ કરીને કેનાલમાં પાણી બંધ કરાવ્યું હતું. જો કે તે પુર્વે ખેતરમાં ઢીંચણ સમા પાણીનો ભરાવો થવા પામ્યો હતો. આથી ખેડુત દ્વારા નર્મદા વિભાગ તેમને થયેલ નુકશાનીનું વળતર આપે તેવી માંગણી કરાઇ હતી. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.