સુરતમાં બિહારના યુવકનું મોબ લિંચિંગ, લોખંડની પાઈપથી મારી મારીને હત્યા

ગુજરાતમાં ઉત્તર ભારતીયો સાથે મારપીટ અને દુર્વ્યવહારની ઘટનાઓનો સિલસિલો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. સુરતમાં બિહારના ગયાના રહેવાસી એક યુવકની લોખંડની પાઈપથી મારી મારીને હત્યા કરી દેવામાં આવી છે. યુવકનું નામ અમરજીત સિંહ બતાવવામાં આવી રહ્યુ છે. શુક્રવારે રાતે અમરજીત નામનો યુવક પાંડેશ્વરા વિસ્તાર સ્થિત એક મિલમાંથી કામ કરીને પાછો આવી રહ્યો હતો. ત્યારે કેટલાક લોકોએ તેના પર હુમલો કરી માર મારીને હત્યા કરી દીધી.
 
યુવક સુરતમાં છેલ્લા 15 વર્ષોથી રહેતો હતો. તે પાંડેશ્વરા વિસ્તારની એક મિલમાં કામ કરતો હતો અને ત્યાં મજૂરો પણ પૂરા પાડતો હતો. પરિવારજનોનું કહેવુ છે કે શુક્રવારે સાંજે તે મિલમાંથી ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે હિંસક ભીડે તેની હત્યા કરી દીધી. આ ઘટનાથી વિસ્તારમાં રહેતા ઉત્તર ભારતીયોમાં દહેશતનો માહોલ છે. યુવકના પરિવારનો દાવો છે કે તેની લોખંડની પાઈપથી માર મારીને હત્યા કરી દેવામાં આવી. ગુજરાત પોલિસ તેને એક અકસ્માત ગણાવી રહી છે.
 
અમરજીત 15 વર્ષ પહેલા ત્યાં રોજગારની તપાસમાં બિહારથી સુરતમાં આવ્યો હતો. ઘણા વર્ષોની મહેનત પછી અમરજીતે ત્યાં પોતાનું એક ઘર બનાવ્યુ હતુ અને લગ્ન પણ કરી લીધા હતા. અમરજીતના બે બાળકો છે. અમરજીત બિહારમાં ગયા જિલ્લાના કોંચના કોંડિયા ગામનો રહેવાસી હતો. અમરજીતના પિતા એક સેવાનિવૃત્ત સૈનિક છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં બિહારીઓ સામે બનેલા ખોટા વાતાવરણના કારણે તેમના પુત્રની હત્યા થઈ છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.