બનાસકાંઠામાં શ્વેત ક્રાંતિ અને સ્વીટ ક્રાંતિના સર્જન બાદ હવે બનાસ ડેરીએ પશુઓનું છાણ ખરીદી તેમાંથી ગેસ ઉત્પન્ન કરવા અને જિલ્લામાં ત્રણ સ્થળે ગેસ પમ્પ ખોલી ગોબરગેસનું વેચાણ કરવાનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાથ ધર્યો છે.
સમગ્ર એશિયા ખંડમાં પ્રથમ ક્રમે આવતી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ધાનેરા તાલુકાના નેનાવા ખાતે કાર્યરત બનાસ કૃષિ બજારમાં ૧૦ હજાર જેટલા વિજેતા ખેડૂતોને આપ્યા હાથો હાથ ઇનામનું વિતરણ કર્યું હતું.નેનાવા ગામે ગત વર્ષે માર્ચ મહિનામાં ખેડૂતો માટે ખાનગી બનાસ કૃષિ બજાર ખુલ્લું મુકાયું છે.આ બજાર ખૂબ ઉપયોગી પુરવાર થઇ રહ્યું છે ત્યારે આજે બનાસ ડેરીના ચેરમેન તેમજ પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી આજે બનાસ કૃષિ બજારના મહેમાન બન્યા હતા.બનાસ કૃષિ બજારમાં રાજસ્થાન અને ગુજરાતના ખેડૂતો માલ વેચે છે ત્યારે બનાસ કૃષિ બજાર દવારા અગાઉ ખેડૂતો માટે લક્કી ડ્રોનું આયોજન કરાયું હતું. આ લક્કી ડ્રોના વિજેતા ખેડૂતોને આજે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલ સહિત અન્ય સહકારી તેમજ રાજકીય આગેવાનોની હાજરીમાં ઇનામોનું વિતરણ કરાયું હતું.આજે બનાસ કૃષિ બજાર દવારા ૧૦ હજાર ખેડૂતોને ઇનામનું વિતરણ કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં પ્રથમ નંબરે આવેલા રાજસ્થાનના ખેડૂતને ટ્રેકટર જયારે બીજા નંબરે આવેલ ખેડૂતને મોટર સાઇકલ સહિત ૧૦ હજાર જેટલા ખેડૂતોને વિવિધ ઇનામોનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જાહેરસભાને સંબોધતાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં બનાસ ડેરી દવારા બનાસકાંઠા જિલ્લાના ત્રણ તાલુકામાં ગેસ પંપ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે.