થરાદમાં આધેડની હત્યા મુદ્દે દલિત સમાજના અચોક્કસ મુદ્દતનાં ધરણાં

થરાદ તાલુકાના મોટી પાવડ ગામના દલિત આધેડની હત્યા કરાયેલી લાશ કરણાસર ગામના પાટીયા પાસેથી મળી આવી હતી. તેમ છતાં પોલીસ આરોપીઓને પકડતી ન હતી. જેથી રોષે ભરાયેલા તાલુકાના દલિત આગેવાનોએ ૧૪ દિવસ અગાઉ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી હત્યારાઓને પકડવાની માંગ કરી અન્યથા આંદોલન છેડવાનું 'અલ્ટીમેટર્મ આપ્યું હતું. તેમ છતાં હત્યારાઓ ન પકડાતાં દલિત આગેવાનો ધરણાં ઉપર ઉતરી જઇ જણાવ્યું હતું કે, અમારા આધેડની હત્યા થયાને ૮૪ દિવસ વિતી ગયા છે તેમ છતાં પોલીસ આરોપીઓને પકડતી નથી. તેથી અમારે અચોક્કસ મુદ્દતના ધરણાં ઉપર ઉતરવું પડ્યું છે તેમ છતાં ન્યાય નહીં મળે તો આંદોલન જલદ બનાવી જેલ ભરો અને રસ્તા રોકોનું આંદોલન કરીશું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.