ભોરડુ ગામની આંગણવાડી કાર્યકરે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી

થરાદ : બુધવારના બપોરના સુમારે થરાદ વાવ હાઇવે પર દુધશિત કેન્દ્ર પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં એક અજાણી મહિલાનો મૃતદેહ તરતો તણાઇને જતો જોવા મળતાં નગરપાલિકાના તરવૈયા સુલતાનમીરની મદદ લઇ બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે અજાણી આ પચ્ચીસેક વર્ષની યુવતીના પગમાં પહેરેલાં કડલાં પર રહેલા નામના આધારે તેણીની ઓળખ થતાં તેણી થરાદના ભોરડું ગામની ભગવતીબેન મધુભાઇ પંડ્‌યા નામની બે સંતાનોની માતા હોવાનું તેમજ તેણી ભોરડું પેટા કેન્દ્ર દેવસી ગોળીયા આંગણવાડી કેન્દ્રમાં નોકરી કરતી હોવાનું પણ જાણવા મળ્યું હતું.આ બનાવ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે લોકો ના ટોળેટોળા ઉમટી પડ્‌યા હતા અંગે થરાદ પોલીસ મથકમાં સાંજના સાડા સાત વાગ્યા સુધી કોઇ નોંધ થવા પામી ન હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.