અંબાજીમાં આદીવાસીઓના મેળામાં જૂથ અથડામણ : યુવકની હત્યા

યાત્રાધામ અંબાજી ખાતે શનિવારે વૈશાખી પૂનમને લઈ આદીવાસીઓનો એક અનોખો મેળો ભરાયો હતો. જેમાં ખાસ કરી આદીવાસીઓ પોતાની માનતા પૂર્ણ કરે છે. જેને લઈ અંબાજીમાં હજારો આદીવાસીઓ એકત્રિત થયા હતા. આ દરમિયાન મેળામાં ફરી રહેલાં આદીવાસીઓના બે જૂથ વચ્ચે અચાનક ઘર્ષણ થતાં અજાણ્યા શખ્સે ડુંગાઈસા માનાભાઈ પાબુભાઈની ગળાનાં ભાગે છરીનાં ઘા મારી હત્યા કરી હતી. જેને પગલે મેળામાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે જાણ થતાં અંબાજી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમીયાન મૃતકનાં ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જેનાં આધારે મૃતક યુવક અમીરગઢ તાલુકાનાં નાઇવાડાગામનો હોવાનો મળ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.