યાત્રાધામ બાલારામ- માલપુરીયા માર્ગ ઉપર શનિવારે સાંજના સુમારે એક કારમાં અગમ્યકારણોસર આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કાર ચાલક ભડથું થઇ જતાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી.
પાલનપુરના બાલારામ – માલપુરીયા માર્ગ ઉપર શનિવારે પસાર થઇ રહેલી એક કાર નંબર જીજે. 8. એફ. 2180માં કોઇ અગમ્યકારણોસર આગ લાગી હતી. જ્યાં આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધુ હતુ. આથી કાર ચાલક બહાર ન નીકળી શકતાં કારમાંજ ભુંજાઇ જતાં ભડથું થઇ ગયો હતો. દરમિયાન દોડી આવેલા લોકોએ યેનકેન પ્રકારે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.