અમીરગઢના ખારા-વાઘોરીયા ગ્રામજનોની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી

અમીરગઢ તાલુકાના ખારા-વાઘોરીયાના ગ્રામજનોની જેગોલ-પાંથાવાડા રોડ બનાવવા ૫૦ વર્ષથી માંગણી કરેલ છે. છતાં આ રોડ ન બનતાં ૧,૦૦૦થી વધુ લોકોએ રોડ નહી તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
 
અમીરગઢ તાલુકાના ખારા, જેગોલ, પાંથાવાડા રોડ બનાવવાની વર્ષો જૂની માંગણી તંત્ર દ્વારા સંતોષાતી નથી. તેથી ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી બેનર અને પોસ્ટર બનાવી ગામના માર્ગો પર રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું તથા 'રોડ નહી તો વોટ નર્હી ના નારા ઉચ્ચાર્યાં અને મોટા બેનરો બનાવી સરકાર સમક્ષ માંગણી કરી અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ રેલીમાં ગામના તમામ લોકો સાથે વૃધ્ધો અને મહિલાઓ પણ જાડાઇ હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.