કાંકરેજ તાલુકાના વરસડામાં આજના રોજ વહેલી સવારે એક વ્યક્તિ ખેતરમાંથી પસાર થતી વીજલાઈનના થાંભલા પર ચડી ગયો હતો. જે વીજ વાયરને અડકતા કરંટ લાગવાથી નીચે પાછડાયો હતો. નીચે પટકાતા તેનુ ઘટના સ્થળે મોત થયું હતું. તેની જાણ ગામલોકોને થતાં તેની લાશને પી.એમ.માટે થરા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વરસડા ગામના જયંતીજી શંકરજી ઠાકોર (ઉ.વર્ષ આશરે ૩૨) જેમનું મગજ અસ્થિર હોવાના કારણે રવિવારના રોજ વહેલી સવારે વરસડા ગામે ખેતરમાંથી પસાર થતી વીજલાઈનના થાંભલા પર ચડી ગયેલ. જે સમયે વીજવાયરને અટકતા કરંટ લાગવાથી નીચે પછડાયા હતો. નીચે પટકાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.તેની લાશને પી.એમ.માટે પ્રાઇવેટ વાહન મારફતે થરા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. થરા રેફરલ ના હાજર ડોક્ટરે પી.એમ.કર્યા બાદ મૃતકની લાશને તેના વાલી વારસોને સુપરત કરાઇ હતી. તેની આગળની કાર્યવાહી થરા પોલીસ ચલાવી રહી છે.