અમદાવાદ
નવરાત્રિ દરમિયાન શાળા અને કોલેજામાં વેકેશનના નિર્ણયને લઇને હવે એક વિવાદ છેડાઈ ગયો છે. કારણ કે, ઘણી શાળાના સંચાલકો દ્વારા આને લઇને વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે ઘણી શાળાઓના સંચાલકોએ સ્કુલો ચાલુ રાખવાની પણ વાત કરી છે. સ્વનિર્ભર સ્કુલોના સંચાલકો દ્વારા સ્કુલોને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના નવરાત્રિ દરમિયાન વેકેશન રાખવાના નિર્ણયને લઇને હવે હોબાળો થઇ રહ્યો છે. રાજકોટ, સુરત અને અન્ય જગ્યાઓએ આનો વિરોધ થયો છે. બીજી બાજુ વિરોધને લઇને સરકાર તરફથી પણ પ્રતિક્રિયા આવવા લાગી ગઈ છે. રાજકોટમાં અને અન્યત્ર જગ્યાએ જ્યાં વિરોધ થઇ રહ્યો છે ત્યાં કેટલીક સ્વનિર્ભર સ્કુલ, કોલેજાના સંચાલકો દ્વારા નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે