પાલનપુર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ને અનુલક્ષી પાલનપુર ખાતે જિલ્લા નોડલ અધિકારી, ખર્ચ નિયંત્રણ અને જિલ્લા વિકાસ અધિકારી બી. એ. શાહના અધ્યક્ષસ્થાને ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મંડળ અને આંગડીયા એસોસિેએશનના અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેકઠમાં ખર્ચ નિયંત્રણ અધિકારીશ્રી શાહે જણાવ્યું કે કોઇપણ રોકડ વ્યવહારની હેરફેર કરતી વખતી તેના પુરાવા, બિલો, પાસબુક વગેરે દસ્તાવેજો ચૂંટણી સમયગાળા દરમ્યાન સાથે રાખવા જરૂરી છે. જેથી વેપારીઓને પોતાના ધંધામાં કોઇ અડચણ ન પડે અને સમયનો પણ બચાવ થાય. તેમણે કહ્યું કે ચૂંટણીની આદર્શઆચારસંહિતા અમલમાં આવવાથી ફ્લાઇંગ સ્ક્વોડ, સ્ટેટીક સર્વેલન્સ વગેરે ટીમો કાર્યરત થઇ છે તેમના દ્વારા સઘન ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેમને સહયોગ આપવા પણ તેમણે જણાવ્યું હતું.
ચૂંટણી સમયગાળા દરમ્યાન રૂ.૫૦,૦૦૦/- થી વધુની રોકડ રકમ કોઇ ઉમેદવાર, તેના એજન્ટ અથવા પક્ષના કાર્યકર દ્વારા લઇ જવાતી માલૂમ પડશે. રૂ.૧૦,૦૦૦/- થી વધુ કિંમતના પોસ્ટર્સ કે ચૂંટણી સામગ્રી અથવા માદક પદાર્થો દારૂ, હથિયારો અથવા ભેટની ચીજવસ્તુઓ જેનો ઉપયોગ મતદારોને આકર્ષવા માટે કરવાની સંભાવાના હોય તેવી તમામ ગેરકાયદેસર વસ્તુઓ જપ્તગ કરવામાં આવશે. કોઇ વાહનમાં રૂ.૧૦ લાખથી વધુની રોકડ મળે તો રોકડ જપ્ત કરાશે નહીં. પરંતું આવક વેરાના કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી માટે તેની માહિતી ઇન્કમ ટેક્ષ વિભાગને અપાશે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રૂ.૧૦ લાખથી વધુ રકમની બેંક ખાતામાં લેવડ-દેવડ પર દેખરેખ અને નિયંત્રણ રાખવામાં આવશબેઠકમાં આદર્શ આચારસંહિતાના નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા, વેપારીઓ શિવરામભાઇ પટેલ, રૂગનાથભાઇ પટેલ સહિત ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મંડળના અગ્રણીઓ અને આંગડીયા એસોસિએશનના માલિકો ઉપસ્થિત રહ્યા હતાં.