પાલનપુર હનુમાન ટેકરી પર ઇનોવા ચાલકે સ્વસ્તિક શાળા પાસે અકસ્માત સર્જ્યો હતો. જેમાં વીજ પોલને ભારે નુકસાન થયુ છે. શાળા પાસે જ આ દુર્ઘટના બની છે. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આ રસ્તેથી પસાર થતા હોય છે. ઘટના સમયે વિદ્યાર્થી હાજર ન હોવાથી મોટી દૂર્ઘટના ટળી છે. મહત્વની વાત છે કે અકસ્માતનો પૂરાવાનો નાસ કરવા કારની નંબર પ્લેટ બદલવામાં આવી.વીજપોલ હટાવામાં આવ્યા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
અકસ્માત બાદ ઇનોવાનોકાર ચાલક સગીરવયનો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો સાચી દિશામાં તપાસ થાય તો સાચી હકીકત બહાર આવે તેમ છે. ઉલ્લેખનિય છે કે સગીર વયના બાળકને લાયસન્સ આપવામાં આવતું નથી. તેમ છતા માલેતુજાર રહીશજાદાઓના લાડલાઓ અકસ્માત સર્જી અન્યોની જિંદગી દાવ પર લગાવતા હોય છે.