રાહુલે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટીએ આસામ અને ગુજરાતના મુખ્યમંત્રીઓને ઉંઘમાંથી જગાડી દીધા છે પણ પીએમ મોદી હજી સુઈ રહ્યા છે.
ભાજપને પણ હવે પોતાની રણનીતિ પર ફરી વિચાર કરવાની ફરજ પડી રહી છે. રાહુલ ગાંધીનો ઈશારો આસામમાં ભાજપની સરકાર દ્વારા ખેડૂતોની દેવા માફી અને ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા વીજ બીલમાં માફી તરફ હતો. આ બંને રાજ્યોએ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત બાદ ગઈકાલે જ ખેડૂતોને રાહત આપતી જાહેરાત કરી હતી.