મોરારીબાપુએ કાર થોભાવી એસટી બસમાં મુસાફરી કરી

જાણીતા કથાકાર મોરારીબાપૂએ ઢાંસાથી ભાવનગર સુધી એસટી બસની મુસાફરી કરી હતી મોરારી બાપૂ જેમની કથા હવે જોર્ડન ખાતે છે. જે કથામાં જવા માટે મોરારીબાપૂ તલગાજરડાથી પોતાની કારમાં નીકળ્યા હતા. જો કે અચાનક બાપૂને એસટી બસના સામાન્ય મુસાફરો સાથે મુસાફરી કરવાનું મન થતા બાપૂએ પોતાની કાર થોભાવીને ઢાંસાથી ભાવનગરનું 33 કિલોમીટરનું અંતર એસટી બસમાં ખેડ્યું. બાપુએ ઢાંસાથી ભાવનગર સુધીની મુસાફરી માટે 24 રૂપિયાની એસટી બસની ટિકિટ ખરીદી હતી. જો કે મોરારી બાપૂને પોતાની સાથે મુસાફરી કરતા જોઇને લોકોમાં કુતુહલ જોવા મળ્યુ હતું. લોકોએ પોતાના મોબાઇલ કેમેરાથી બાપુનો આ વીડિયો બનાવ્યો હતો. જેમાં બાપુએ એક મુસાફરે કરેલા બાપુ સીતારામના પડકારાને સીતારામ કહીને વધાવ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.