થરાદના ભોરોલ ગામના એક શિક્ષકના ખેતરમાં બે મજુરો ટ્રેક્ટર વડે કુવો ખોદતા હતા.દરમ્યાન માટી કાઢી રહેલું ટ્રેક્ટર બ્રેક નહી વાગવાના કારણે કુવામાં ખાબક્યું હતું.જોકે કોઇને ખરોંચ પણ નહી આવતાં બધાએ માતાજીનો ચમત્કાર માની પાડ માન્યો હતો.
થરાદના જૈનતીર્થ તરીકે ઓળખાતા ભોરોલ ગામના શિક્ષક વણોલ દાંનાજી રૂડાજીના ખેતરમાં રાજસ્થાનના મજુરો ટ્રેક્ટર વડે કુવો ખોદી રહ્યા હતા.જેમાં કુવામાંથી માટી કાઢવાની કામગીરી ટ્રેક્ટર વડે કરાઇ રહી હતી.બે મજુરો કુવામાં હતા અને ચાલક ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો.દરમ્યાન મંગળવારની બપોરના સુમારે રિવર્સમાં માટી ખાલી કરીને ફરીથી ભરવા માટે કુવા તરફ આવતાં બ્રેક નહી લાગવાના કારણે કુવામાં ખાબક્યું હતું.જોકે સદનસીબે પંદરથી વીસ ફુટ ઉંડા કુવામાં પડવા છતાં પણ તેનો ચાલક અને તેમાં રહેલા બંન્ને મજુર મળીને ત્રણેયનો ચમત્કારીક બચાવ થવા પામ્યો હતો.ઘટનાની જાણ થતાં બહોળી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા.સૌ કોઇ આ ઘટનાને માં શેણલ અને માં ચાળક નો પરચો કહેવાય તેમ વંદન કરીને તેમનો પાડ માનતા જોવા મળ્યા હતા.જ્યારે મોડી રાત સુધી ક્રેન વડે ટ્રેક્ટરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું હતુ.