રાજય સરકારનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ બનાસકાંઠા જીલ્લાની ઓચિંતી મુલાકાત લીધી

બનાસકાંઠામાં પાણીની સમીક્ષા માટે ગતરોજ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા આવ્યાં હતાં. તેઓ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી હતી. જોકે ડેમ ભરવાની યોજના શરૂ કરવા સરકાર સમક્ષ કરવાની રજુઆત કરવાની ખાત્રી આપી છે.
 
બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાઓને લઇને અનેક રજૂઆતો થઈ રહી છે. ખાસ કરીને અંતરિયાળ ગામડાઓમાં પીવાના અને પશુઓને પીવાના પાણીની તંગી સર્જાઈ રહી છે. ત્યારે રાજય સરકારનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા એ ગતરોજ બનાસકાંઠા જીલ્લાની ઓચિંતી મુલાકાત લીધી હતી. કેબિનેટ મંત્રી એ દાંતીવાડા પાણી પુરવઠા યોજના અને સિપુ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી હતી અને સ્થિતિના તાગ અધિકારીઓ પાસેથી મેળવ્યો હતો. જોકે બન્ને યોજનાથી જે ગામોમાં પાણી આપવામા આવી રહ્યું છે તે પુરતા પ્રમાણમાં હોવાનો દાવો મંત્રી એ કર્યો હતો તો અંતરિયાળ વિસ્તારમાં હવાડા ભરવા ટેન્કરના ઉપયોગ કરવાનો અને અન્ય જયાં પાણી પુરતો મળતો નથી ત્યાં પણ ટેન્કર દ્વારા વ્યવસ્થા કરવા અધિકારીઓ એ તાકીદ કરી હતી. જોકે દાંતીવાડા ડેમમાં નર્મદાથી પાણી નાખવાની માંગને સરકાર સમક્ષ રજુઆત કરવાની ખાતરી આપી હતી.
 
‌પાણીની સ્થિતીના તાગ મેળવવા આવ્યો છું. તમામ ગામોમાં જૂથ યોજનાથી પાણી મળી રહ્યું છે. પાણીનો ચાલુ વર્ષ માટે પુરતો સ્ટોક છે. અધિકારીઓ અને સ્થાનિક કાર્યકરોની માંગ પણ સ્વીકારવામાં આવશે. દાંતીવાડા ડેમમાં નર્મદાની પાઇપ લાઇન નાખવામાં આવી છે. જે ચાલુ કરવા અમે સરકાર સમક્ષ વાત કરીશું. મુખ્યમંત્રીનું પણ ધ્યાન દોરી સિંચાઈ અને પીવા માટે પુરતું પાણી ભરવામાં આવશે. દાંતીવાડા અને સિપુ ડેમની ઓચિંતી મુલાકાતને લઇને પાણીની સમીક્ષા કરવામાં આવી હતી. જોકે હાલ અંતરિયાળ વિસ્તારમાં આજે પણ પાણીની સમસ્યા યથાવત છે. ત્યારે અધિકારીઓ, મંત્રીને પુરતું પાણી હોવાની વાત કરી વાતને ગોટે વાળી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.