કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સ.દાં.કૃષિ યુનિવર્સિટી, થરાદ દ્વારા વાવ તાલુકાના કોળાવા મુકામે જીરૂ પાકમાં ક્ષેત્ર દિવસ અને ખેડૂત- વૈજ્ઞાનિક ગોષ્ઠિનું તા.૨૬/૨/૨૦૧૯ ના રોજ આયોજન કરવામાં આવ્યું. જેમાં સ.દાં.કૃષિ યુનિવર્સિટીના માન.કુલપતિશ્રી પ્રો.(ડા.) અશોક એ.પટેલ, ડા.કે.એ. ઠક્કર (વિસ્તરણ શિક્ષણ નિયામક), ડા.એમ.આર. પ્રજાપતિ (ડીન, એગ્રીકલ્ચર કોલેજ), ડા.ડી.વી.જોષી (ડીન, વેટેરનરી કોલેજ), ડા.બી.એન. સુથાર (ડીન, ડેરી સાયન્સ કોલેજ), ડા.એસ.આર.વ્યાસ (ડીન, બેઝિક સાયન્સ કોલેજ), ચી.પ.કૃષિ મહાવિદ્યાલયના વિવિધ વિભાગોના પ્રાધ્યાપક વડાઓ, સ.દાં.કૃષિ યુનિવર્સિટીનાં ૩૦ જેટલા યુવા વૈજ્ઞાનિકો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા તેમજ વૈજ્ઞાનિકો ઉપરાંત ૧૭૦ જેટલા ખેડૂતો હાજર રહેલ હતા. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડા. વી.ટી.પટેલે શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદના વૈજ્ઞાનિક ડા.ચેતન દેસાઈ દ્વારા જીરાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ ઉપર ખેડૂતોને માહિતગાર કરેલ. કિટકશાસ્ત્ર વિભાગના વડા ડા. ડી.એ.ડોડીયા દ્વારા જીરૂ પાકમાં જીવાત નિયંત્રણ માટે વિસ્તારથી માહિતી આપેલ. રોગશાસ્ત્ર વિભાગના વડા ડા. ડી.એસ,પટેલ દ્વારા જીરામાં રોગ નિયંત્રણ માટે વિસ્તારથી માહિતી આપેલ.