પેપરાલના ગુમ યુવકની લાશ કેનાલમાંથી મળી

લાખણી તાલુકાના પેપરાલ ગામના નાગજીભાઇ રણછોડભાઇ પટેલ (ઉં.વ.૩૫) ગત તા. ૧૮/૦૧/૨૦૧૯ ના રોજ અચાનક ગુમ થઇ ગયા હતા. તેથી ચિંતામાં ગરકાવ પરિવારજનો દ્વારા તેમની વ્યાપક શોધખોળ હાથ ધરાઇ હતી પરંતુ તેમની કોઇ ભાળ મળી ન હતી. દરમિયાન ગઇકાલે તેમની લાશ થરાદ તાલુકાના ભાપી ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. તેથી પરિવારજનો સહીત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વર્તમાન સમયમાં હતાશા અને માનસિક તણાવના પરીણામે લોકો ઉતાવળીયું પગલું ભરી લેતાં હોય છે પરંતુ તેમના પરિવાર અને સમાજને ઘણું વેઠવું પડે છે. 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.